વ્યક્તિ સજ્જન બને અને સજ્જનો સંગઠીત બને અને આવું સંગઠન સક્રિય બને એવા ઉદ્દેશથી Stuttgart માં ગુજરાતી સમાજ સક્રિય છે. વર્તમાન પેઢિને ગુજરાતની ધરતીની સુવાસ મળી રહે અને ભાવિ પેઢિને ગુજરાતની અસ્મિતાનો પરિચય અને સંસ્કાર મળે એવા સંનિષ્ટ પ્રયાસો ગુજરાતી સમાજ દ્વારા બિન નફાકારક રીતે કરવામાં આવે છે. ગુજરાતી ભાષા, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંસ્કાર વગેરેનું સંચન થાય અને તહેવારો તથા એકબીજાનો સહકાર ઊજવાનો એક લક્ષ પણ સેવવામાં આવ્યો છે.

સંસ્કૃતિ અને સાહિત્ય

ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતના સાહિત્યના જતન અને પ્રચારમાં રસ ધરાવતા વ્યક્તિઓને એક સાથે લાવવા.

આયોજન અને વિકાસ

સમાજના સભ્યોના હિત માટે સખાવતી, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન અને વિકાસ કરવા.

મિત્રતા અને સમજ

સભ્યોમાં પણ મિત્રતા અને સમજને પ્રોત્સાહન આપવું તથા શૈક્ષણિક અને વ્યાવસાયિક જરૂરિયાતો માટે સંસ્થાના સભ્યોમાંથી સલામત માધ્યમ પૂરા પાડવા અને સુરક્ષિત કરવા.

ગુજરાતી તહેવારો…!

પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં જે રીતે રંગે-ચંગે નવરાત્રિ ઊજવવામાં આવે છે બસ કંઇક એવી જ રીતે જર્મનીમાં પણ મોટા શહેરોમાં આપણા ગુજરાતી ભાઇઓ નવરાત્રિ ઊજવે છે. હજુ ભારતમાં જેમ ‘કુંભસ્થાપન’ કરી ને નવેઉ દિવસ પૂજા-આરતી અને ગરબા થાય તેટલા પ્રમાણમાં ગુજરાતીઓ ની વસ્તી આ લખાય છે ત્યાં સુધી થઈ નથી પણ ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ ન્યાયે આપણે લોકો ભેગા થઈ એક-બે દિવસ ગરબા ગાઇએ છીએ.

આપણે ત્યાં નવરાત્રિનું આયોજન આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસોમાં ગમે ત્યારે બને ત્યાં સુધી શનિ-રવિ માં થતું હોય છે. આવા કાર્યક્રમો દરમિયાન મોટા ભાગે માતાજીનો ગરબો, આરતી અને પછી ખુબ-બધો પ્રસાદ અને પછી જોરદાર ગરબા અને વળી દાંડીયા પણ ખરા. આમ સામાન્ય રીતે ૧૨:૦૦ – ૦૧:૦૦ વાગ્યા સુધી ગરબાનું આયોજન થતા હોય છે. નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે (આદર્શ સ્થીતિમાં તો ખરા જ). કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા ! આમ તો આવા પ્રસંગો દરમિયાન કાંદા-લસણ વિનાનું અને ક્યારેક વળી ફરાળી પણ પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે.

ગુજરાતી સમાજ Stuttgart દર વર્ષે નવરાત્રિનું આયોજન બહું પારંપરિક રીતે અને બહુ ઉત્સાહની સાથે કરે છે. વર્ષ ૨૦૧૯ ના ગરબાનો કાર્યક્રમ તા. ૦૫.૧૦.૨૦૧૯ ના રોજ રાખેલ છે. આગળ ઉપરના નવરાત્રિના કાર્યક્રમોની જાહેરાત જે-તે સમયે કરવામાં આવશે.

દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે.

આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે શ્રાવણ માસ ની આઠમના રોજ જન્માષ્ટમી નો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર ભારત ના લગભગ બધાજ રાજ્યોમાં ખુબજ હર્ષોઉલ્લાશ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

જન્માષ્ટમી ના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં માતા દેવકીની કુખેથી થયો હતો.

મુખ્યત્વે ભગવાન કૃષ્ણ ના મુખ્ય ધામ દ્વારકા અને મથુરાના મંદિરોમાં ખુબજ શણગાર સાથે આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે.

યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.

આગામી કાર્યક્રમ

ChaitriNav

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account